વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આવેલ શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે
મોરબીમાં શોભાયાત્રા બાદના કચરાના નિકાલ માટે સફાઈ અભિયાન
SHARE
મોરબીમાં શોભાયાત્રા બાદના કચરાના નિકાલ માટે સફાઈ અભિયાન
મોરબીમાં રામનવમી નિમિતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેંમજ નહેરુ ગેઇટ ચોકમાં રાત્રે ભજન સંધ્યા સાહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આથી શોભાયાત્રાને કારણે મુખ્યમાર્ગો અને નહેરુ ગેઇટ ચોકે રાત્રે આ કાર્યક્રમને લીધે મોટી માત્રામાં કચરો એકઠા થયો હતો. આ કાર્યક્રમ મોડી રાત્રે પૂરો થયો હતો.જો કે નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દરરોજ રાત્રે સફાઈ કરવામાં આવે છે. પણ ગતરાત્રે વધુ કચરો થયો હોય એકલા હાથે આ કચરાની સફાઈ શક્ય ન હતી.આથી સાથી હાથ બઢનાની જેમ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ મોડી રાત્રે કાર્યક્રમ પતાવી જવાબદારી પુરી થયાનું સમજવાને બદલે આ કચરો ઉપડવાની પોતાની પણ નૈતિક જવાબદારી સમજીની રાત્રે કચરો દૂર કરવા સાવરણા-ઝાડુ લઈને મંડી પડ્યા હતા. યંગ ઇન્ડિયાના દેવેનભાઈ રબારી સહિત તમામ કાર્યકરોએ મોડી રાત્રી સુધી સફાઈ કરી હતી અને નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના મુખ્યમાર્ગો ઉપર થયેલા કચરાની સફાઈ કરીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.









