મોરબીના લીલાપર નજીક બાઇક આડે કૂતરું આવતા ઇજા પામેલ પોલીસ કર્મચારી સારવારમાં
મોરબી ઝુલતાપુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલને વધુ એક વખત સિવિલમાં સારવાર માટે લાવ્યા
SHARE
મોરબી ઝુલતાપુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલને સિવિલમાં વધુ એક વખત સારવાર માટે લાવ્યા
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સારવાર માટે હાલમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. ત્યારે જયસુખભાઈ પટેલને માનસિક રોગ વિભાગના ડોક્ટર પાસે સારવાર આપીને જેલ વિભાગ દ્રારા લાવવામાં આવ્યા છે.ગત શનિવારે છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ જયસુખભાઇ દ્રારા કરવામાં આવી હતી ત્યારે પણ તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આજે પુન: તા.૩-૪ ને સોમવારે વધુ એક વખત જયસુખભાઈ પટેલને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ તેમજ સારવાર માટે જેલ વિભાગ દ્રારા લાવવામાં આવેલ છે.
મોરબીમાં બનેલ જુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજયા હતા અને તે કેસમાં હાલમાં પોલીસ દ્વારા જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે. દરમિયાન તેઓએ શનિવારે ગભરામણ અને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા જે તે સમયે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં આજે સોમવારના વધુ એક વખત ડોકટરને બતાવવા માટે તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ જયસુખભાઈ પટેલને હાલમાં માનસીક રોગ વિભાગના ડોકટર પાસે લઇને આવ્યા હતા અને તેને ડોકટર દ્વારા સારવાર આપીને પાછા સબ જેલ મોરબી ખાતે મોકલી આપેલ છે.









