મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે શક્તિ કોમ્પલેક્ષના ત્રણ દુકાનદારોના એસીના કોપર પાઇપની ચોરી
ટંકારાના ખાખરાબેલા ગામ પાસે ડમ્પરના ચાલકને પ્લાસ્ટિકના પાઇપ-ધોકા વડે માર માર્યો
SHARE
ટંકારાના ખાખરાબેલા ગામ પાસે ડમ્પરના ચાલકને પ્લાસ્ટિકના પાઇપ-ધોકા વડે માર માર્યો
ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડીએ ખેતીમાં મજૂરી કામ કરતો યુવાન ડમ્પર લઈને ડેમમાંથી માટી ભરી આવ્યો હતો દરમિયાન તેને પાંચ થી છ શખ્સોએ તેને રોકીને ખાખરાબેલા ગામ પાસે પ્લાસ્ટિકના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોસ્પિટલ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે કિશોરભાઈની વાડીએ ખેતીમાં મજૂરી કામ કરતો સરદાર જુવાનસિંહ મેરા (૩૨) નામનો યુવાન ખાખરાબેલા ગામ પાસેથી ડમ્પર લઈને નીકળ્યો હતો ત્યારે તેને રોકીને પાંચ થી છ શખ્સો દ્વારા પ્લાસ્ટિકના પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યો બાદ આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી દરમ્યાન ભોગ બનેલા સરદાર મેરા સાથે ફોન ઉપર વાત કરતા તેને જણાવ્યું હતું કે, તેણે કિશોરભાઈની વાડી ભાગમાં વાવવાં માટે રાખી છે અને એક દિવસ માટે તે ખાખરાબેલા ડેમમાંથી માટી ભરવા માટે ડમ્પર લઈને ગયો હતો અને તે માટી ઉકેડા ગામે લઈ જવામાં આવી હતી દરમ્યાન તેને ખાખરાબેલા ગામ પાસે અજાણ્યા શખ્સોએ રોકીને ડમ્પરમાંથી નીચે ઉતારીને માર માર્યો હતો જેથી કરીને તેને ઈજા થતા હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બુડાસણા (૬૨) પોતાનું બાઈક લઈને મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ આસવાદ પાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબીના જેલ રોડ ઉપર વાંકાનેર દરવાજા પાસેથી પસાર થઈ રહેલા ભગવાનજીભાઈ જસમતભાઈ ભોરણીયા (૬૯) રહે. મહેન્દ્રનગર રોડ મોરબી વાળાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભગવાનજીભાઈ ભોરણીયાને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.