ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ લખનઉમાં યોજાયેલ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ માં ભાગ લીધો


SHARE







મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ લખનઉમાં યોજાયેલ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ માં ભાગ લીધો

રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન કેન્દ્ર લખનઉ તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કલામંડપમ ઓડિટોરિયમ લખનઉમાં ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ નું ભવ્ય આયોજન થયું હતું જેમાં ઉત્તર પ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બ્રિજેશ પાઠકજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ પંડિત કે એ દુબે 'પદ્મેષ', આચાર્ય ઇન્દુ પ્રકાશ, આર કે. ચતુર્વેદીઉજ્જૈનના મહામંડલેશ્વર મદન વ્યાસજીમહામંડલેશ્વરજી કિશોરજીતેમજ મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા વાળાને વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ હતું જેમાં ભારતના ગોલ્ડ મેડેલીસ્ટ જ્યોતિષ આચાર્યોને તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવેલું હતું.

જેમાં અનેક વિષયો ઉપર ચર્ચાઓ થઈ સાથે પંચાંગોનું એકીકરણ કેમ કરવું એ વિષય ઉપર શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશીવારાએ પોતાની વિદ્વતા પૂર્ણ શૈલીમાં રજૂઆત કરી જેમાં શાસ્ત્રી જીગ્નેશ પંડ્યાને જ્યોતિષની સર્વોચ્ચ પદવી જ્યોતિષ મહામહોપાધ્યાય અર્પણ કરવામાં આવી.જેમાં ઉત્તરપ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ આશ્વાસન આપ્યું કે બનશે એટલું પંચાંગ અને કેલેન્ડરને સમાવી એકબીજાનું એકીકરણ કરવાનો પ્રયત્ન કરીશું.શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશી વારાણસી ની અંદર સાત વર્ષનો જ્યોતિષ સાહિત્ય તેમજ ભાગવતના વિષયો ઉપર અધ્યયન કરી બનારસ હિન્દુ યુનિવર્સિટી ની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છે તેમજ કાશી વિદ્વત પરિષદના આજીવન સદસ્ય છે.ગોવર્ધન પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીના હાથેથી પણ સન્માન થયેલું છે. તેમજ ઇન્ડિયન એસ્ટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સન્માનિત થયેલ છે સાથે કાશી વિદ્વત પરિષદના જ્યોતિષ વિષયમાં આર્યભટ્ટ જ્યોતિષ તરીકેની પણ ઉપાધિ પ્રાપ્ત કરેલી છે અને હાલ લખનઉની સમિટમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ મહામહોપાધ્યાયની પદવી એનાયત કરાયેલ છે.






Latest News