મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો
ટંકારાના હડમતિયા ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર-સુંદરકાંડનું આયોજન
SHARE
ટંકારાના હડમતિયા ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર-સુંદરકાંડનું આયોજન
ટંકારા તાલુકાના હડમતિયા ગામના મંદિરમાં બિરાજમાન આરાધ્યા દેવ શ્રી રામ અને સીતાજીનું રામજી મંદિર આશરે ૧૫ વર્ષ જુનું થવાથી ફરીથી રંગરોગાન કરી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી, શ્રીકૃષ્ણ અને રાધાજીની મૃર્તીઓનુ કલરકામ અને વાઘા (વસ્ત્રો) થી સુશોભીત બનાવીને આકર્ષક નું કેન્દ્ર બન્યાં છે સાથે ઘુમ્મટમાં રાસ ચિત્ર બનાવીને જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી રાસે રમતા હોય તેમ લાગી રહ્યું છે. આ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં આશરે ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ ગામના ઉધોગપતિઓ તેમજ ગ્રામજનો એ આપ્યો છે. આ કામમાં રાત-દિવસ મહેનત કરતા મુળજીભાઈ કામરીયા, જાદવજીભાઈ સિણોજીયા, કેશવજીભાઇ કામરીયા, હિતેષભાઇ મેરજા, જગદીશભાઈ સિણોજીયા, ઠાકરશીભાઈ મેરજા, રમેશભાઈ સિણોજીયા, પ્રભુભાઈ મેરજાએ મહત્વનું યોગદાન આપ્યું છે.