માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો
SHARE
માળીયા (મી) ના વીરવિદરકા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં મહિલાએ અંતિમ માર્ગ અપનાવ્યો
માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના લગ્નને દોઢ વર્ષ જેટલો સમય થયો હોય તેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાની હદ માં આવતા વીરવિદરકા ગામના પાટીયા પાસે ક્યુલક્ષ સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા હેતલબેન જીગરભાઈ કમેજડિયા જાતે કોળી (૨૮)એ લેબર કવાર્ટર ની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઇ એમ.પી. સોનારા સહિતનો સ્ટાફ ત્યાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને મૃતક મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હોવાનું અને તેને સંતાન ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.









