મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ


SHARE







મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ

મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતું છે જો કે અહીના લોકો તો ઉબડ ખાબડ રસ્તાથી ટેવાઇ ગયા છે પરંતુ બહારથી અહી માલ લેવા માટે આવતા લોકો અહીના ભંગાર રસ્તા જોઈને ત્રાહિમામાં પોકારી જાય છે અને અનેક વખત બહારથી આવેલા આગેવાનોએ અહીના રોડ રસ્ત તેમજ તંત્ર વાહકોની જાહેરમાં ટીકાઓ કરતાં હોય છે તો પણ ભંગાર રસ્તાને રીપેર કરવામાં આવતા નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના લીલાપર બાજુથી રફાળેશ્વર બાજુ જવું હોય તો રસ્તામાં જે પુલા આવે છે તેના છેડાનું કામ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયો છે જેથી કરીને સવાર અને સાંજના સમયે ઉધોગપતિ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો આ રસ્ત ઉપરથી નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક જામ સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા તાત્કાલિક આ રોડ રીપેર કરવાની માંગ કરી છે






Latest News