મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન


SHARE





વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે જોકે, ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા ન હોવાથી દર્દીઓને હેરાન થવું પડતું હોય છે ત્યારે હાલમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઈંજેકશન ન હોવાથી ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ત્યાં સારવાર ન મળવાના કારણે ખાનગી હોસ્પિટલના ડામ સહન કરવા પડી ગયા છે

વાંકાનેર અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકો તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોય છે જોકે ત્યાં દવાના અભાવે અથવા તો સુવિધાના અભાવે ઘણી વખત દર્દીઓને રાજકોટ સુધી રીફર કરવામાં આવતા હોય છે અને જે દર્દીઓ રાજકોટ ન જાય તો તેને ખાનગીમાં ડામ સહન કરવા પડતા હોય છે હાલમાં સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા દિવસોથી ધનુરના ઇન્જેક્શન ન હોવાથી જે દર્દીઓને ધનુરના ઇન્જેક્શન લેવા પડે તેવી પરિસ્થિતિ હોય તેમને ખાનગીમાં ડામ સહન કરવા માટે જવું પડતું હોય છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે જી.એમ.એસ.સી.એલ. મારફતે ધનુરના ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાથી હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઇન્જેક્શન નથી જેથી દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરીયાત હોય તો ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન લેવા માટે જવું પડતું હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખૂટતી દવા, ખૂટતા ઇન્જેક્શન તેમજ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે




Latest News