મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન


SHARE









વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે જોકે, ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા ન હોવાથી દર્દીઓને હેરાન થવું પડતું હોય છે ત્યારે હાલમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઈંજેકશન ન હોવાથી ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ત્યાં સારવાર ન મળવાના કારણે ખાનગી હોસ્પિટલના ડામ સહન કરવા પડી ગયા છે

વાંકાનેર અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકો તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોય છે જોકે ત્યાં દવાના અભાવે અથવા તો સુવિધાના અભાવે ઘણી વખત દર્દીઓને રાજકોટ સુધી રીફર કરવામાં આવતા હોય છે અને જે દર્દીઓ રાજકોટ ન જાય તો તેને ખાનગીમાં ડામ સહન કરવા પડતા હોય છે હાલમાં સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા દિવસોથી ધનુરના ઇન્જેક્શન ન હોવાથી જે દર્દીઓને ધનુરના ઇન્જેક્શન લેવા પડે તેવી પરિસ્થિતિ હોય તેમને ખાનગીમાં ડામ સહન કરવા માટે જવું પડતું હોય છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે જી.એમ.એસ.સી.એલ. મારફતે ધનુરના ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાથી હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઇન્જેક્શન નથી જેથી દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરીયાત હોય તો ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન લેવા માટે જવું પડતું હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખૂટતી દવા, ખૂટતા ઇન્જેક્શન તેમજ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News