હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા વૃદ્ધે પોતાની ફેફસાની બીમારીથી કંટાળી જઈને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા જાતે પટેલ (૭૫)એ પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના દીકરા ભાવેશભાઈ જેરામભાઈ સરડવા (૩૪) રહે.  સરવડ વાળાએ માળિયા તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધને ફેફસાની બીમારી હોય તેને બીમારીથી કંટાળી જઈને પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ હાજીઅલી ચેમ્બર પાસે બદરે આલમ તમીજુદ્દીન (૬૦) રહે, ધિયાવાડ  તાલુકો વાંકાનેર વાળા કુદરતી કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અબ્દુલ કાદિર લઈને આવ્યા હતા અને ત્યાં બદરે આલમ તમીજુદ્દીનને જોઈ તપાસીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News