મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ


SHARE













હળવદના ટીકર પાસે વાડામાં આગ લગતા ૪૦૦ અબોલ જીવ માટેનો નીરણ અને ચારો ખાખ

હળવદના ટિકર ગામે રહેતા માલધારી કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં તેની ૩૦૦ જેટલી ગાયો અને ૧૦૦ જેટલી ભેંસો માટે ૪૦૦૦ મણ સૂકી નીરણ ૭૦૦ મણ ગવારનો ભૂકો હતો જેમાં કોઈ કારણોસર રવિવારે બપોરના સમયે આગ લાગી હતી જેથી કરીને અબોલ જીવ માટેનો તમામ ચારો બળીને ખાખ થઈ ગયો છે એટીઆર ઉલેખનીય છે કે, માથે ચોમાસુ હોવાથી માલધારીએ પહેલાથી જ તેના ૪૦૦ જેટલા આ બોલ જીવ માટે ચારાની વ્યવસ્થા કરી હતી જો કે, આગ લગતા તે બળીને ખાખ થઈ ગયેલ છે આ બનવાની જાણ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ કરવામાં આવી હતી જેથી તે ઘટના સ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક પાણીના બે ટેન્કર માંગવીને આગને કાબુમાં લેવા માટેનુ કામ કરવામાં આવ્યું હતું જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે અને માલધારીને અંદાજે આઠ લાખથી વધુનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે




Latest News