મોરબી નજીક ટ્રક ચાલકે ડબલ સાવરી બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા યુવતી રાજકોટ સારવારમાં
Morbi Today
મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો
SHARE
મોરબીના રામધન આશ્રમે ઉમિયા મંદિરનો પાટોત્સવ યોજાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું. જેનો લાભ મહેન્દ્રનગર અને આસપાસના ગામના લોકોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરશનભાઇ, ખીમજીબાપા, કેશુભાઈ, સેવક બહેન રેવાબા, મહેશભાઈ, અરજણભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતે જણાવ્યુ છે









