મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમને બદનામ કરનારાઓનો પોલીસ છોડશે નહી: લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીની સાફ વાત


SHARE













મોરબી શહેરના સનાળા રોડ ઉપર બનાવવામાં આવેલ નવા બસ સ્ટેશનનું આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોરબીના મુસાફરો માટે અને જનતા માટે દિવસેને દિવસે એસટી સહિતની સુવિધામાં સરકાર દ્વારા વધારો કરવા માટે તેઓ કટિબંધ છે તેની સાથોસાથ તેઓએ વર્તમાન સમયમાં જે લવ જેહાદનો મુદ્દો ચાલે છે તેને ધ્યાનમાં રાખીને ટકોર કરી હતી કે પ્રેમ કરવો તે ગુનો નથી પરંતુ પ્રેમને બદનામ કરનારા કોઈને છોડવામાં આવશે નહી

રાજ્ય સરકાર દ્વારા એસટી બસ સ્ટેન્ડના નવીનીકરણની કામગીરી જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવે છે તેવી રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન નું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે મોરબીનું સનાળા રોડ ઉપર નવું બસ સ્ટેશન બનાવવામાં આવેલ છે આ બસ સ્ટેશનનું આજે રાજ્યના ગૃહ મંત્રી અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે હર્ષ સંઘવી દ્વારા ખાસ કરીને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેના વિશેની માહિતી આપવામાં આવી હતી અને હાલમાં મોરબી જિલ્લાની અંદર ૩૩૦૦૦ જેટલા લોકો એસટી વિભાગની બસની મુસાફરી કરી રહ્યા છે તે આગામી એક વર્ષમા ૫૦૦૦૦ જેટલા મુસાફરોની સંખ્યા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા માટે થઈ એસટી વિભાગના અધિકારીઓને કર્મચારીઓ કાર્યરત છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં મોરબી ડેપોમાં એસટીને વધુ બસો ફાળવવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું તેની સાથોસાથ વર્તમાન સમયમાં ગુજરાત અને ભારતની અંદર જે લવ જેહાદનો મુદ્દો ચાલી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ એવી ટકોર કરી હતી કે પ્રેમ કરવો તે કોઈ ગુનો નથી પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને અથવા તો સુરેશ સલીમ બનીને કોઈને પ્રેમ કરે અને તેને ફસાવે તેમજ પ્રેમને બદનામ કરે તો તેને પોલીસ વિભાગ દ્વારા છોડવામાં આવશે નહીં આવા કોઈ પણ બનાવની અંદર પોલીસ વિભાગને અરજી મળશે તો તેના ઉપર તાત્કાલિક આઈજી,એસપી સહિતના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી પણ ગૃહરાજ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી






Latest News