મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત


SHARE













હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત

હળવદના કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરતાં હતા ત્યારે હળવદ વીજ કંપનીના કર્મચારીને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામે રહેતા અને વીજ કંપનીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા (૩૨) બુધવારે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરી રહ્યા હતા ત્યારે વીજપોલ ઉપર તેને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની હળવદ વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓને થતાં તે તાત્કાલિક દિગ્વિજયસિંહને સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી




Latest News