મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય


SHARE













મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય

મોરબીના ગોરખીજડીયા સહકારી મંડળીના સભ્યનો વીમો ઉતારનાર ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવામાં બહાનું કાઢ્યું હતું અને ડ્રાઈવીંગ લાયસન્સના બહાને ખેડૂતનો વીમો આપવામાં આવ્યો ન હતો જેથી તેનો કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલી ગયો હતો અને હાઇકોર્ટમાં લડત આપી ખેડૂતના હિતમાં ચુકાદો આપવામાં આવેલ છે

હાલમાં મળી રહેલા માહિતી મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી દેવુબેન હમીરભાઇ કડોતરાના પતિનુ અકસ્માતે મૃત્યુ થયું હતું અને તેનો વીમો સહકારી મંડળી દ્વારા ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીમાં લેવામાં આવ્યો હતો જો કે, વીમા કંપનીએ ડ્રાઇવીંગ લાયસન્સના બહાના હેઠળ વીમો ચુકવવાની ના પડી હતી જેથી દેવુબેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો હતો તે બન્ને કેસમાં રૂપિયા દશ લાખ નવ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ હતો. પરંતુ ચૌલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીએ આ રકમ ચુકવેલ નહી અને ગ્રાહક અદાલત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ હતા અને કોર્ટે વીમા કંપનીની અપીલ કાઢી નાખી છે અને જે ચુકાદો આપવામાં આવેલ છે તેને માન્ય રાખવામા આવેલ છે જે વીમા કંપનીએ ૧૦ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૧૬/૧૦/૧૯ થી ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે આમ ખેડૂત પરિવાર સાથે વીમા કંપનીએ કરલે અન્યાય સામે કોર્ટે ન્યાય કરેલ છે






Latest News