મોરબીમાં થયેલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરીના ગુનામાં કુરિયરની ઓફિસના આસીસ્ટન્ટની ધરપકડ
મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો
SHARE
મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો
મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના વતની જયભાઈ મહેતાનો કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકને કોરોનાની બીમારી સબબ નામંજૂર કરેલા ૬૮ હજાર ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો જે વિમાના રૂપિયા ૬૮ હજારનો ચેક ગ્રાહકને અર્પણ કરાયો હતો ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા ગ્રાહક સુરક્ષા મંડળના સહમંત્રી રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિના સેમિનારો થકી જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવું જોઈએ આજના સમયમાં લોકો છેતરાતા હોય છે જેથી ગ્રાહકોએ આવા કિસ્સામાં મંત્રી રામભાઈ તથા પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે