મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ


SHARE







મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર પોતાના ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા આધેડના દીકરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવતા પોલીસે હાલમાં ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા જયદીપભાઇ અશોકભાઈ ભટ્ટી જાતે વાણંદ (૨૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અશોકભાઈ કરસનભાઈ ભટ્ટી જાતે વાણંદ (૫૧) ગત તા. ૨૭/૫  ના બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ લઈને આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એમ. ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મારામારીમાં ઇજા
મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજીભાઈ (૪૨) નામના યુવાનને પ્રેમજીનગર સામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના શકાળા ગામે રહેતા ભૂરાભાઈ આઈદાનભાઈ સવસેટા (૩૫) સનાળા ગામ પાસે આવેલ ઉમિયાનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News