મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ


SHARE









મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર પોતાના ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા આધેડના દીકરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવતા પોલીસે હાલમાં ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા જયદીપભાઇ અશોકભાઈ ભટ્ટી જાતે વાણંદ (૨૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અશોકભાઈ કરસનભાઈ ભટ્ટી જાતે વાણંદ (૫૧) ગત તા. ૨૭/૫  ના બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ લઈને આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એમ. ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મારામારીમાં ઇજા
મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજીભાઈ (૪૨) નામના યુવાનને પ્રેમજીનગર સામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના શકાળા ગામે રહેતા ભૂરાભાઈ આઈદાનભાઈ સવસેટા (૩૫) સનાળા ગામ પાસે આવેલ ઉમિયાનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News