મોરબી જિલ્લામાં ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબરની અરજી કરી શકાશે
માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત
SHARE
માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત
માળીયા મિયાણા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી છે જેથી કરીને પાણી ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ખેડૂતોના આગેવાનોએ રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માળિયા તાલુકામાં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતી વધી છે પરંતુ નર્મદા કેનાલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવામાં આવે અને માળીયાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ સહિતના ગામના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિના સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચાના પરમુખ નિલેશભાઈને સાથે રાખીને રજૂઆત કરવા માટે ગયા હતા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને કેનાલમાં ઝડપથી પાણી ચાલુ કરવાની રજુઆત કરેલ છે









