રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો


SHARE









મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ. સામે રહેતો શખ્સ તેની પાસે ગાંજો રાખીને વેચાણ કરતો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જિલ્લામાં એન.ડી.પી.એસ. ડ્રાઇવ દરમ્યાન એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે આશીફભાઇ રહિમભાઇ ચાણકીયાને ખાનગી બાતમી મળેલ હતી કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે. આઇ.ટી.આઇ. સામે ઘુંટુ રોડ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા મકાનમા માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ મળી આવ્યો હતો જેથી કરીને ૧૧,૬૯૦ નો ગાંજો અને એક મોબાઇલ ફોન ૫૦૦૦ તેમજ રોકડા ૨૪૦૦ મળીને કુલ ૧૯,૦૯૦ ના મુદામાલ સાથે આરોપી કાદરભાઇ નાનુભાઇ મુલતાની જાતે પીજારા (૩૫) રહે. હાલ આઇ.ટી.આઇ. સામે ઘુંટ રોડ મોરબી મુળ દુધરેજરોડ ટીબી હોસ્પીટલ નજીક કામનાથ મહાદેવ મંદિરની પાછળ વઢવાણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.આર.કેસરીયા તથા એમ.એસ.અંસારી તેમજ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, ફારૂકભાઇ પટેલ, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News