મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો


SHARE













મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ. સામે રહેતો શખ્સ તેની પાસે ગાંજો રાખીને વેચાણ કરતો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જિલ્લામાં એન.ડી.પી.એસ. ડ્રાઇવ દરમ્યાન એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે આશીફભાઇ રહિમભાઇ ચાણકીયાને ખાનગી બાતમી મળેલ હતી કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે. આઇ.ટી.આઇ. સામે ઘુંટુ રોડ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા મકાનમા માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ મળી આવ્યો હતો જેથી કરીને ૧૧,૬૯૦ નો ગાંજો અને એક મોબાઇલ ફોન ૫૦૦૦ તેમજ રોકડા ૨૪૦૦ મળીને કુલ ૧૯,૦૯૦ ના મુદામાલ સાથે આરોપી કાદરભાઇ નાનુભાઇ મુલતાની જાતે પીજારા (૩૫) રહે. હાલ આઇ.ટી.આઇ. સામે ઘુંટ રોડ મોરબી મુળ દુધરેજરોડ ટીબી હોસ્પીટલ નજીક કામનાથ મહાદેવ મંદિરની પાછળ વઢવાણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.આર.કેસરીયા તથા એમ.એસ.અંસારી તેમજ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, ફારૂકભાઇ પટેલ, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News