મોરબી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી બાળકોના મધ્યાહન ભોજન માટે શેડ બનાવવામાં આવ્યો
મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો
SHARE
મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો
મોરબીના જુના નાગડાવાસના સંજયભાઈ અમુભાઈ રાઠોડને જશુબેન મકનભાઈ ભોરણીયા વિગેરે સામે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમના રે.સ.નં.૩૧૨ પૈકી-૨ ની જમીન હે.આરે.ચો.મી.૦-૭૨-૮૪ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૬ તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સોદાખત અનુસાર જમીનનો રજી.દસ્તાવજ ન કરી આપતા અને તે રીતે ક૨ા૨ના વિશિષ્ટ શરતોનું પાલન નહીં કરતા ટંકારા અદાલતમાં રે.દિ.મુ.નં.૫૦/૨૦૨૧ થી સંજયભાઈ અમુભાઈ રાઠોડે કરારના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તેજ રીતે નેકનામ ગામના ૨ે.સ.નં.૩૧૩ પૈકી-૨ જમીન હે.આરે.ચો.મી.૦-૪૮-૫૬ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૭ થી તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સૌદાખત અનુસા૨ જમીનનો રજી. દસ્તાવેજ કરી નહી આપતા અને તે કરારની વિશિષ્ટ શરતોનું પાલન નહી કરતા ટંકારા અદાલતમાં ર.દિ.નં.૫૧/૨૦૨૧ થી ક૨ા૨ના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તે બંને દાવાઓ ચાલી જતા ઉપરોકત બંન્ને દાવાઓમા ટંકારા સીવીલ અદાલતે તા.૩-૪-૨૩ ના રોજ કરેલ હુકમ અનુસાર પ્રતિવાદીઓએ રૂ.૭,૪૫,૦૦૦ તથા રૂ.૫,૮૫,૦૦૦ દાવા દાખલ થયાની તારીખથી ૭ ટકાના વ્યાજ સહીત વાદી સંજયભાઈ અમુભાઈ રાઠોડને ચુકવી આપવાનો હુકમ કરેલ.આ દાવામાં વાદીના વકીલ તરીકે મોરબીના ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.