મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સેકાતો વિકાસ: મોરબીમાં બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પતરાના સેડ નીચે શિક્ષણ લેવા મજબૂર !


SHARE













સેકાતો વિકાસ: મોરબીમાં બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પતરાના સેડ નીચે શિક્ષણ લેવા મજબૂર !

સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અધ્યતન સુવિધાઓ મળતી હોવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળાનું બિલ્ડીંગ ન હોવાથી હાલમાં પતરાના સેડ નીચે તડકામાં શિક્ષણ લેવા માટે થઈને મજબૂર બન્યા છે અને નવી શાળા ક્યારે બનશે તે અંગેની કોઈ માહિતી આચાર્ય કે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી પાસે નથી !

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોની સંખ્યામાં વધારો થાય તેમજ સરકારી શાળામાં અભ્યાસ માટે થઈને આવતા વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તેના માટે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે જોકે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જ પરિસ્થિતિ હાલમાં મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરિયા પાટી વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યાં વર્ષો જૂની બોરીયા પાટી પ્રાથમિક શાળા આવેલ છે આ શાળાના જર્જરીત બિલ્ડીંગ ને તોડી પાડવા માટે થઈને વર્ષ 2022માં હુકમ કરવામાં આવ્યો હતો

ત્યાર પછી પણ નવું બિલ્ડીંગ ક્યારે બનશે ?, કેવી રીતે બનશે ? અને કેટલા ખર્ચે બનશે ? તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી ન હતી જેથી કરીને શાળાના આચાર્ય દ્વારા એક વર્ષ કરતાં વધુ સમય સુધી જર્જરત બિલ્ડિંગમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી ચાલુ રાખી હતી જો કે, વર્ષ 2023 ના એપ્રિલ મહિનામાં આ જૂની જર્જરીત બિલ્ડીંગને તોડી પાડવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજ દિવસ સુધી બોરીયા પાટી પ્રાથમિક શાળાની અંદર કેટલા રૂમ બનશે ? તેવું બિલ્ડીંગ કેવુ બનશે ?, કેટલા ના ખર્ચે બિલ્ડિંગ બનશે ? તેની કોઈ માહિતી શાળાના આચાર્ય કે પછી પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે નથી

એક બાજુ ઉનાળાની કાળજાળ ગરમી છે જેમાં પત્રના સેડ નીચે બેસીને વિદ્યાર્થીઓને હાલમાં શિક્ષણ મેળવવું પડે છે અને આગામી દિવસોમાં ચોમાસુ પણ સક્રિય થવાનું છે ત્યારે ચોમાસા દરમિયાન આ ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવશે ? અને જો કોઈ અકસ્માતની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? તે સહિતના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે આટલું જ નહીં પરંતુ શાળાના આચાર્ય દ્વારા અવારનવાર બાંધકામ વિભાગમાં શાળાના નવા બિલ્ડિંગ માટે જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ આ શાળાનું કામ ક્યારે શરૂ થશે ? ક્યારે પૂર્ણ થશે ? તેની કોઈ માહિતી કોઈ પાસે નથી જેથી કરીને વિદ્યાર્થીઓને પતરાના સેડ નીચે શિક્ષણ મેળવવું પડે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ હાલના સંજોગોમાં દેખાતો નથી અને આ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓની ઘોરબેદરકારી કહીએ તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી






Latest News