મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા વધુ બે આરોપીની જામીન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે બે આરોપીના જામીન મંજૂર કરેલ છે
મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવેલ હતા અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા તે પૈકીનાં ત્રણ આરોપીના અગાઉ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટિકિટ વેચવાનું કામ કરતા મહાદેવ લખાભાઇ સોલંકી અને મનસુખ વાલજીભાઇ ટોપિયાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં તમામ સહકાર આપવાની શરતે જામીન મુક્ત કરેલ છે