મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત


SHARE











મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ પૂજરીઓના જામીન માટે સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને જામીન મુકત કરવા માટે હુકમ કરેલ છે

મોરબી શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવ સેવા મંડળના ટ્રસ્ટીઓ દ્રારા મંદિરની જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અધિનિયમ કલમ ૩,૪ (૨) (૩) ૫(સી) અન્વયે આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી તથા રાજુગીરી ગોવિંદગીરી સામે જડેશ્વર મંદિર ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવા અંગેની ફરીયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરીયાદ આધારે બંન્ને આરોપીઓ સામે ચાર્જશીટે દાખલ થયેલ હતું અને ચાર્જશીટના આધારે બંન્ને આરોપીઓ વતિ એડવોકેટ રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર દ્રારા સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ બંન્ને આરોપીના જામીન માટે અરજી કરેલ હતી અને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પણ ટાકેલ હતાં અને તેઓએ કરેલી દલીલોને ધ્યાને લઈને સ્પે. લેન્ડ ગ્રેબિંગ કોર્ટ દ્રારા બંન્ને આરોપીઓ જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો આ કામે બંને આરોપીઓના વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.






Latest News