મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત


SHARE

















મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ પૂજરીઓના જામીન માટે સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને જામીન મુકત કરવા માટે હુકમ કરેલ છે

મોરબી શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવ સેવા મંડળના ટ્રસ્ટીઓ દ્રારા મંદિરની જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અધિનિયમ કલમ ૩,૪ (૨) (૩) ૫(સી) અન્વયે આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી તથા રાજુગીરી ગોવિંદગીરી સામે જડેશ્વર મંદિર ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવા અંગેની ફરીયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરીયાદ આધારે બંન્ને આરોપીઓ સામે ચાર્જશીટે દાખલ થયેલ હતું અને ચાર્જશીટના આધારે બંન્ને આરોપીઓ વતિ એડવોકેટ રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર દ્રારા સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ બંન્ને આરોપીના જામીન માટે અરજી કરેલ હતી અને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પણ ટાકેલ હતાં અને તેઓએ કરેલી દલીલોને ધ્યાને લઈને સ્પે. લેન્ડ ગ્રેબિંગ કોર્ટ દ્રારા બંન્ને આરોપીઓ જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો આ કામે બંને આરોપીઓના વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.




Latest News