મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...


SHARE















ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં કારખાનાની પાછળ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં એશિયા પોલિપેક કારખાના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિકાસભાઈ મહન્થીભાઈ ચૌધરી જાતે કુર્મી (૧૮) રહે હાલ એશિયા પોલીપેક કારખાનાની ઓરડી મૂળ રહે યુપી વાળો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સંજયભાઈ ખીમાભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે ફ્લોરા હોમ્સ વોરાબાગ ગેડા સર્કલ પાસે મોરબી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ તપાસ કરાવી રહ્યા છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે હાલમાં રહેતાુ મૂળ યુપીના રહેવાસી રામઅવતાર રામકિશન જાતે કોણી (૨૧) નામના યુવાનને ગત તા ૯/૬ ના રોજ વહેલી સવારે તાવ આવતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને હવે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News