મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં બંધ મકાનમાંથી દાગીના-રોકડ મળીને ૫૦ હજારના મુદામાલની ચોરી


SHARE







મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટનું તાળું તોડીને તેમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૫૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલી મહિલાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા વૃતિબેન મુકેશભાઈ વિઠવણી જાતે લોહાણા (ઉમર વર્ષ ૨૫)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના દરવાજાનાં તાળાં તોડયા બાદ ઘરમાં પ્રવેશ કરીને લાકડાના કબાટની તિજોરીને તોડવામાં આવી હતી અને તેમાંથી સોનાનો એક ચેન અને સોનાની બે બુટ્ટી આમ કુલ મળીને સોનાના દાગીના તેમજ રોકડ પાંચ હજાર આમ કુલ રૂપિયા ૫૦૦૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને હાલમાં ચોરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News