ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી


SHARE













મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં સાંજના સમયે ફુકાયેલા ભારે પવનના કારણે બે વીજ સબ સ્ટેશનનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને ૪૫ ગામની અંદર અંધારપટ થઇ ગયો છે અને હાલમાં જીલ્લામાં ૩૦૦ થી વધુ વીજપોલ તુટેલ છે તેને ઉભા કરવાની અને બંધ થયેલ બંને સબ સ્ટેશનને ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે.

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથડાઈ ગયું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાને વાવાઝોડાની સીધી કોઈ અસર નથી થઈ પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેવી માહિતીઓ સામે આવી રહી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં મોટા દહીસરા અને પીપળીયા સબ સ્ટેશન સાંજે પાંચ વાગ્યે ભારે પવન ઉપાડવાના કારણે વીજ વાયરો તૂટી જવાના કારણે અથવા તો વીજ પોલ તૂટવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી કરીને માળિયા તાલુકાના ૪૫ ગામની અંદર અંધારપટ છવાઇ ગયો હતો અને આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાની સાથે જ તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ગઇકાલે મોડી રાતના સમયથી જ એક એક વીજ પોલને ઉભા કરવાની કામગીરી સાથો સાથ સબ સ્ટેશનને શરૂ કરવા માટે સમગ્ર ટીમ કામે લાગી હતી અને ૪૫ પૈકીના નવ ગામોમાં રાતના ૧૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો જોકે બાકીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેની હાલમાં કામગીરી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, રણકાંઠાના એરીયામાં અંદાજે કુલ મળીને ૩૦૦થી વધુ વીજપોલ તૂટી પડ્યા હોય તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.






Latest News