મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી


SHARE









મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં સાંજના સમયે ફુકાયેલા ભારે પવનના કારણે બે વીજ સબ સ્ટેશનનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને ૪૫ ગામની અંદર અંધારપટ થઇ ગયો છે અને હાલમાં જીલ્લામાં ૩૦૦ થી વધુ વીજપોલ તુટેલ છે તેને ઉભા કરવાની અને બંધ થયેલ બંને સબ સ્ટેશનને ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે.

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથડાઈ ગયું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાને વાવાઝોડાની સીધી કોઈ અસર નથી થઈ પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેવી માહિતીઓ સામે આવી રહી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં મોટા દહીસરા અને પીપળીયા સબ સ્ટેશન સાંજે પાંચ વાગ્યે ભારે પવન ઉપાડવાના કારણે વીજ વાયરો તૂટી જવાના કારણે અથવા તો વીજ પોલ તૂટવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી કરીને માળિયા તાલુકાના ૪૫ ગામની અંદર અંધારપટ છવાઇ ગયો હતો અને આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાની સાથે જ તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ગઇકાલે મોડી રાતના સમયથી જ એક એક વીજ પોલને ઉભા કરવાની કામગીરી સાથો સાથ સબ સ્ટેશનને શરૂ કરવા માટે સમગ્ર ટીમ કામે લાગી હતી અને ૪૫ પૈકીના નવ ગામોમાં રાતના ૧૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો જોકે બાકીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેની હાલમાં કામગીરી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, રણકાંઠાના એરીયામાં અંદાજે કુલ મળીને ૩૦૦થી વધુ વીજપોલ તૂટી પડ્યા હોય તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.






Latest News