ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી


SHARE













મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં સાંજના સમયે ફુકાયેલા ભારે પવનના કારણે બે વીજ સબ સ્ટેશનનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને ૪૫ ગામની અંદર અંધારપટ થઇ ગયો છે અને હાલમાં જીલ્લામાં ૩૦૦ થી વધુ વીજપોલ તુટેલ છે તેને ઉભા કરવાની અને બંધ થયેલ બંને સબ સ્ટેશનને ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે.

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથડાઈ ગયું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાને વાવાઝોડાની સીધી કોઈ અસર નથી થઈ પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેવી માહિતીઓ સામે આવી રહી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં મોટા દહીસરા અને પીપળીયા સબ સ્ટેશન સાંજે પાંચ વાગ્યે ભારે પવન ઉપાડવાના કારણે વીજ વાયરો તૂટી જવાના કારણે અથવા તો વીજ પોલ તૂટવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી કરીને માળિયા તાલુકાના ૪૫ ગામની અંદર અંધારપટ છવાઇ ગયો હતો અને આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાની સાથે જ તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ગઇકાલે મોડી રાતના સમયથી જ એક એક વીજ પોલને ઉભા કરવાની કામગીરી સાથો સાથ સબ સ્ટેશનને શરૂ કરવા માટે સમગ્ર ટીમ કામે લાગી હતી અને ૪૫ પૈકીના નવ ગામોમાં રાતના ૧૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો જોકે બાકીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેની હાલમાં કામગીરી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, રણકાંઠાના એરીયામાં અંદાજે કુલ મળીને ૩૦૦થી વધુ વીજપોલ તૂટી પડ્યા હોય તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.






Latest News