મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી


SHARE







મોરબી-માળીયા તાલુકામાં વિજ કંપનીના બે સબ સ્ટેશન બંધ, ૪૫ ગામમાં અંધારા, ૩૦૦ જેટલા વિજપોલ ધરાશાયી

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં સાંજના સમયે ફુકાયેલા ભારે પવનના કારણે બે વીજ સબ સ્ટેશનનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને ૪૫ ગામની અંદર અંધારપટ થઇ ગયો છે અને હાલમાં જીલ્લામાં ૩૦૦ થી વધુ વીજપોલ તુટેલ છે તેને ઉભા કરવાની અને બંધ થયેલ બંને સબ સ્ટેશનને ચાલુ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે.

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથડાઈ ગયું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાને વાવાઝોડાની સીધી કોઈ અસર નથી થઈ પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેવી માહિતીઓ સામે આવી રહી છે તેની સાથોસાથ જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં મોટા દહીસરા અને પીપળીયા સબ સ્ટેશન સાંજે પાંચ વાગ્યે ભારે પવન ઉપાડવાના કારણે વીજ વાયરો તૂટી જવાના કારણે અથવા તો વીજ પોલ તૂટવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી કરીને માળિયા તાલુકાના ૪૫ ગામની અંદર અંધારપટ છવાઇ ગયો હતો અને આ અંગેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાની સાથે જ તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

ગઇકાલે મોડી રાતના સમયથી જ એક એક વીજ પોલને ઉભા કરવાની કામગીરી સાથો સાથ સબ સ્ટેશનને શરૂ કરવા માટે સમગ્ર ટીમ કામે લાગી હતી અને ૪૫ પૈકીના નવ ગામોમાં રાતના ૧૦ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો જોકે બાકીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેની હાલમાં કામગીરી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, રણકાંઠાના એરીયામાં અંદાજે કુલ મળીને ૩૦૦થી વધુ વીજપોલ તૂટી પડ્યા હોય તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.






Latest News