મોરબીમાં સિરામિક એસો. અને પેપરમિલ એસો. જલારામ મંદિર તેમજ લાયન્સ ક્લબ દ્વારા ફૂડ વિતરણ
મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?
SHARE
મોરબી માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગ પાસે રોડના ખાડા કોઈનો જીવ લેશે ?
મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ બાજુ ખેડૂતો તેના માલને લઈને વેચવા માટે આવે છે તેમજ માલની ખરીદી કરવા માટે વાહન લઈને આવતા હોય છે ત્યારે શાકભાજીના વિભાગ પાસે રોડમાં ખાડા પડી ગયેલ છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા નથી ત્યારે ત્યાં અકસ્માત થવાની શક્યતા છે અને વાહનમાં નુકશાન થવાની ભીતિ સાથે કોઈ જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે સ્થાનિક વેપારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના પદાધિકારી, કર્મચારીઓને ઘણી વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ કામ કરવામાં આવતું નથી અને ખાડા જેમ હતા તેમ જ છે ત્યારે ચોમાસામાં ઘટના બને તે પહેલા આ ખાડાને બુરવામાં આવે તેવી સ્થાનિક શકભાજી વિભાગના વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે









