માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE













પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી પોલિસએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરેલ છે.

બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઇશ્વરભાઈ ભીમાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલ સમીર શંકરભાઇ નાયક નામના ૩૯ વર્ષના યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેનું અહીં ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી સિટિ એ ડીવીઝનના હરેશભાઈ ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરતાં હળવદ પોલિસએ બનાવના કારણ બાબતે આગળની તપાસ ચાલુ કરેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે સાચું કારણ હળવદ પોલીસની તપાસ બાદ સામે આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા હર્ષદભાઈ બચુભાઈ ભીમાણી નામના ૪૭ વર્ષના યુવાનને ગામમાં વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.હર્ષદભાઈ ભીમાણી ગામમાં બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેમને ઈજા પહોંચી હતી.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવાપર નદી ગામે રહેતા ગણેશ કનુજી ભીલ નામના ૩૩ વર્ષના યુવાનને ગામની અંદર કામ દરમિયાન વીંછી કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી સંજયભાઈ મધુકરભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News