માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો


SHARE













મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો

મોરબી સબ જેલ ખાતે બીપોરજોય વાવાઝોડાના સંદર્ભે મોરબી જિલ્લાના  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જેલની મુલાકાત લેવામા આવી હતી તેમજ જેલમાં રહેલ તમામ પુરુષ-મહિલા બંદીવાનઓની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન તેઓએ બંદીવાનોને જણાવ્યું હતું કે અન્ય કોઈના દોરવ્યા કે કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે આવું બને તે માટે તમારું તમારા પરિવાર અને બાળકોનું તેમજ ભવિષ્યનું વિચારીને આગામી સમયમાં સારું જીવન જીવવા અને સારા નાગરિક બનવા તેઓએ બંધીવાનોને જણાવ્યું હતું.

આસાથે તેઓએ જેલમાં મળતો ખોરાક જાતે ચાખી ચેક કર્યો હતો.જેલમાં રહેવાની સગવડ,  સલામતી અને આરોગ્ય વિશેની જાણકારી લીધી હતી.તેમજ સરકાર તરફથી મળતી સવલતો અને યોજના મળે તેની માહિતી આપી હતી.તેમજ વાવઝોડામાં કોઈ તકલીફ નથી તેની તમામ બંદીવાનોને રૂબરૂ મળી માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા






Latest News