પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો
SHARE
મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો
મોરબી સબ જેલ ખાતે બીપોરજોય વાવાઝોડાના સંદર્ભે મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જેલની મુલાકાત લેવામા આવી હતી તેમજ જેલમાં રહેલ તમામ પુરુષ-મહિલા બંદીવાનઓની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન તેઓએ બંદીવાનોને જણાવ્યું હતું કે અન્ય કોઈના દોરવ્યા કે કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે આવું બને તે માટે તમારું તમારા પરિવાર અને બાળકોનું તેમજ ભવિષ્યનું વિચારીને આગામી સમયમાં સારું જીવન જીવવા અને સારા નાગરિક બનવા તેઓએ બંધીવાનોને જણાવ્યું હતું.
આસાથે તેઓએ જેલમાં મળતો ખોરાક જાતે ચાખી ચેક કર્યો હતો.જેલમાં રહેવાની સગવડ, સલામતી અને આરોગ્ય વિશેની જાણકારી લીધી હતી.તેમજ સરકાર તરફથી મળતી સવલતો અને યોજના મળે તેની માહિતી આપી હતી.તેમજ વાવઝોડામાં કોઈ તકલીફ નથી તેની તમામ બંદીવાનોને રૂબરૂ મળી માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા