નવલખી પોર્ટ શરૂ: કોલસાના પરિવહન માટે ટ્રકના ત્રણ કિલોમીટર સુધી થપ્પા લાગ્યા
મોરબીની લજાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે ને ઇજા
SHARE
મોરબીની લજાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે ને ઇજા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે એટોપ નજીક ડબલ સવારી બાઇકને નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બે વ્યક્તિઓને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ધાર્મિકભાઈ મનહરભાઈ ઢેઢી જાતે પટેલ (૧૯)એ હાલમાં અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે એટોપના કારખાના પાસે ડિવાઈડરની કટમાં ટાટા કંપનીના નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર મધુવન હોટલ તરફ જવાના રસ્તા ઉપર જઈ રહેલ ધાર્મિકભાઈના ડબલ સવારી બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી કરીને ધાર્મિકભાઈ તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલા વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મીલ પાસે રહેતા જયેશ કિશોરભાઈ પંચાસરા નામના ૧૮ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.તેમાં ખુલ્યુ હતું કે જયેશ પંચાસરા બાઇક લઈને રફાળેશ્વર કેનાલ રોડ પાસેથી જતો હતો ત્યારે કોઈ ટ્રક ચાલકે તેના બાઈક સાથે વાહન અથડાવતા તેને ઈજા પહોંચી હતી આ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પ્રિયાલસિંગ વજુભા પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને ઘુંટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટી પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સંદીપસિંહ દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જે અંગે હાલ પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
યુવાન સારવારમાં
મોરબીના મોટીવાવડી ગામે સિમ વિસ્તારમાંથી જઈ રહેલા સાહીન સુનિલભાઈ પંડિત નામના યુવાનને પગપાળા જતા સમયે કોઈ અજાણ્યુ જનાવર જમણા પગે કરડી જતા તેને સારવાર માટે ખસેડાયો હતો.