મોરબીની સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું
મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા
SHARE
મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા
મોરબી શહેરના છેવાડે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ હજુ વરસાદી પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે જે મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રને લેખીત રજૂઆત કરેલ છે.સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૧ માં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ રોડ પર હજુ પાણી ભરેલા છે શનાળા જીન પાસે ભૂંગળામાં કચરો ભરાઈ ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહેતું થયું છે ત્યારે નાના વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના તલાવડામાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિકો પરેશન થયા છે ગંદા પાણીના તલાવડાને પગલે આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ સકે છે જેથી વહેલી તકે ભૂંગળા (પાઈપ) ની સફાઈ કરી પાણીનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.