મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા અને રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા અને રક્તદાન કેમ્પ યોજાયો
કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂરા થયા છે ત્યારે ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિધાનસભા કાર્યશાળા તેમજ બલિદાન દિવસની સાથો સાથ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતુ તેમજ પ્રદેશ ભાજપની ગાઈડ લાઇન મુજબ એલ.ઇ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ સાથે ઓનલાઇન જોડાઈને તેનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અલ્પકાલીન વિસ્તારક પૃથ્વીરાજસિંહ વાળા, વાંકાનેરના મહારાજ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના હોદ્દેદાર, જિલ્લાના ભાજપના હોદ્દેદાર અને વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા હતા તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, પાલિકાના પૂર્વ સદસ્ય સહિતના હાજર રહ્યા હતા તેવું વાંકાનેર શહેર ભાજપના એસ.એમ. ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે