લવ જેહાદ !: સુરતથી હિન્દુ સગીરાના અપહરણના ગુનામાં મોરબીમાંથી આરોપી ઝડપાયો
SHARE
લવ જેહાદ !: સુરતથી હિન્દુ સગીરાના અપહરણના ગુનામાં મોરબીમાંથી આરોપી ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નવા બસ સ્ટેશન પાસેથી સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાનું અપહરણ કરનારા આરોપી ઝડપાયો છે તથા સગીરા પણ તેની સાથે મળી આવી હતી જેથી મોરબી સીટી એડમિશન પોલીસી ટીમ દ્વારા આ અંગેની સુરત ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબીના નવા બસ સ્ટેશન પાસે એક સગીરા સાથે એક પુરુષ શંકાસ્પદ હાલતમાં ઉભા હતા અને ત્યારે પોલીસની ટીમ દ્વારા ત્યાં જઈને યુવાનની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને તે બંનેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં તેની સગન પૂછપરછ કરવામાં આવતા સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિન્દુ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરતા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણની ભોગ બને સગીરાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે અપરણના આ ગુનામાં આરોપી સાકેત ઈમ્તિયાઝખાન શેખ (૨૦) રહે હાલ સુરત મૂળ રહે. એમ પી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને સગીરાને પણ કબજામા લેવામાં આવી છે અને સુરત ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હોવાનું હાલમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું છે