મોરબીમાં શાંતિવન આશ્રમ, નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે
વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો
૯ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિધાનસભા કાર્યશાળા તેમજ બલિદાન દિવસની સાથો સાથ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશની ગાઈડ લાઇન મુજબ એલ.ઇ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ઓનલાઇન યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અલ્પકાલીન વિસ્તારક પૃથ્વીરાજસિંહ વાળા, વાંકાનેરના મહારાજ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લાના ભાજપના હોદ્દેદાર, વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્યઓ, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ તાલુકાના દરેક ગામના બુથ પ્રમુખ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવું હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે