મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમ, નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે


SHARE













મોરબીમાં શાંતિવન આશ્રમ, નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે

ગુરપૂર્ણિમાની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ શાંતિવન આશ્રમ, મોરબીના બગથળા ગામે આવેલ નકલંક મંદિર અને થાનગઢમાં જોગ ધ્યાનપૂરા આશ્રમે ગુરપૂર્ણિમાની ઉજવણી કરાશે જેના માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે

જોગ ધ્યાનપુરા આશ્રમ
ગુરુપૂર્ણિમાના અવસર પર જોગ ધ્યાનપુરા આશ્રમ થાનગઢ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએથી એટલે કે તા.૨-૭ ના રોજથી ઉજવણી શરૂ કરવામાં આવશે અને બીજા દિવસે સવારે સુંદરકાંડ, બપોરે આનંદનો ગરબો, રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પાબેન પટેલ, વિવેક સંચાલા, મનસુખ વસોયા જેવા સાહિત્યકારો જમાવટ કરશે અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજા સવારે ૯ કલાકે, ૧૦ કલાકે ધ્વજાજી આરોહણ વિધિ અને ૧૧ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ કરવામાં આવશે તો ગુરુપૂર્ણિમાના દિવસે ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે

નકલંક મંદિર
આગામી ગુરુપૂર્ણિમાનાં દિવસે મોરબી તાલુકાનાં બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે ત્યારે તા ૩ ને સોમવારે સવારે ૯ વાગ્યે ગુરુજીનું મહાપૂજન તેમજ ગુરુજીની આરતી કરવામાં આવશે ત્યાર બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે મંદિરના મંહત દામજીભગત તથા સમસ્ત ટ્રસ્ટીઓએ તેમજ સમસ્ત બગથળા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

શાંતિવન આશ્રમ
મોરબીમાં શાંતિવન આશ્રમ ખાતે સદગુરુ કેશવાનંદ બાપુ ગુરૂદેવ મહેશ્વરાનંદ બાપુના સાનિધ્યમાં તા. ૩ જુલાઈને અષાઢ સુદ પુનમને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે ત્યારે સવારે ૭ કલાકે ગુરૂપૂજન તથા ગુરૂ યાગનું આયોજન કરેલ છે તેની સાથોસાથ સત્યનારાયણની કથા અને રાતે સંતવાણી પણ રાખવામા આવી છે આ સંતવાણીમાં ભજનિક લલીતાબેન ધોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, ઉસ્તાદ લાલાભાઈ, ઉસ્તાદ દેવાંગભાઈ  સહિતના જમાવટ કરશે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે શાંતિવન આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News