માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું


SHARE













સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું

વેદો અને તેના મંત્રો એ ભારતીય સંસ્કૃતિનું અનન્ય અંગ છે ત્યારે ચાર વેદો પૈકીના એક યજુર્વેદનો સાત વર્ષ સુધી દ્વારકા મુકામે અભ્યાસ કરી કંઠસ્થ કરનાર યુવાન શાસ્ત્રી ઉજ્જવલ કમલેશભાઈ મહેતાનું સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ ધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ તેના દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિ દ્વારા વિવિધ શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અગ્રણી રાજુભાઈ જોશી, જયદિપભાઈ ઠાકર, એન.એન.ભટ્ટ, મુકુંદરાય જોશી, નિતીનભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, બિપીનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News