મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું


SHARE







સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું

વેદો અને તેના મંત્રો એ ભારતીય સંસ્કૃતિનું અનન્ય અંગ છે ત્યારે ચાર વેદો પૈકીના એક યજુર્વેદનો સાત વર્ષ સુધી દ્વારકા મુકામે અભ્યાસ કરી કંઠસ્થ કરનાર યુવાન શાસ્ત્રી ઉજ્જવલ કમલેશભાઈ મહેતાનું સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ ધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ તેના દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિ દ્વારા વિવિધ શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અગ્રણી રાજુભાઈ જોશી, જયદિપભાઈ ઠાકર, એન.એન.ભટ્ટ, મુકુંદરાય જોશી, નિતીનભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, બિપીનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News