મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!


SHARE









હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!

થોડા સમય પહેલા મોરબીમાં વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા તે રીતે મોરબીના રવાપર રોડ ઉપર પણ એક વૃક્ષ પડી ગયુ હતુ જે આજની તારીખે ઉપાડવામાં આવ્યુ નથી..! માટે લોકોમાં આ બાબતમાં રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકા કઈ હદે નિંભરતા દાખવી રહી છે અને તેનો આ નાદાર નમૂનો મોરબીના મુખ્ય માર્ગ સમા રવાપર રોડ ઉપર પણ જોવા મળી રહ્યો છે જો શહેરના મુખ્ય માર્ગો ઉપર આ હાલત હોય તો છેવાડાના વિસ્તારોની શું હાલત હશે તે વાચકોએ સ્વયં સમજી લેવું.

રબીવાસીઓએ મોરબી પાલિકાની જ તમામ સીટો નહીં પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભારે મોટી બહુમતી ભાજપને આપી હતી છતાં પણ આજે શું સ્થિતિ છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.જો કોઇ વિસ્તારના લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવા માટે જાય તો ચૂંટાયેલા સભ્યો કહે છે કે હવે અમે ક્યાં સત્તામાં છીએ પરંતુ જો ઉપરથી કોઈ મવડી મંડળનો કાર્યક્રમ આવે તો તાબડતોબ કલેકટર સહિતનાઓને કામે લગાડીને કામ કરાવવામાં આવે છે પરંતુ છેવાડાના નાગરિકોની કોઈ દરકાર લેવામાં આવતી નથી અને આજે વરસાદના સમયે છેવાળાના વિસ્તારમાં શું હાલત છે તે ચૂંટણી માટે જે લોકો મત માંગવા માટે પહોંચતા હતા તે લોકોએ છેવાડાના વિસ્તારની મુલાકાત લઇને તે વિસ્તારની દરકાર લેવી જોઈએ.જો વાત કરીએ તો

બિપોરજોય વાવાજોડામાં બાપા સીતારામ ચોકથી નિલકંઠ વિદ્યાલય બાજુ રવાપર રોડ ઉપર એક ઝાડ (વૃક્ષ) પડીગયુ હતુ તે ઝાડ આજના દિવસ સુધી ઉપાડવામાં આવેલ નથી..! શું પાલીકાના કોઈ અધિકારી કે સરકારી સંસ્થા કે આ વિસ્તારના ચુંટાયેલ આગેવાનો (જે ચુંટણી ટાંણે લોકોને હથેડીમાં ચાંદ બતાવતા હતા તે.) કે અન્ય કોઇ એજન્સીની જવાબદારી મોરબીને સ્વચ્છ રાખવાની નથી..? જો હોય તો તેઓ પોતાની આળસ ઉડાળીને આવા રોજિંદા કામોમાં કામે લાગે તે જરૂરી બન્યું છે.






Latest News