મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!


SHARE













હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!

થોડા સમય પહેલા મોરબીમાં વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા તે રીતે મોરબીના રવાપર રોડ ઉપર પણ એક વૃક્ષ પડી ગયુ હતુ જે આજની તારીખે ઉપાડવામાં આવ્યુ નથી..! માટે લોકોમાં આ બાબતમાં રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકા કઈ હદે નિંભરતા દાખવી રહી છે અને તેનો આ નાદાર નમૂનો મોરબીના મુખ્ય માર્ગ સમા રવાપર રોડ ઉપર પણ જોવા મળી રહ્યો છે જો શહેરના મુખ્ય માર્ગો ઉપર આ હાલત હોય તો છેવાડાના વિસ્તારોની શું હાલત હશે તે વાચકોએ સ્વયં સમજી લેવું.

રબીવાસીઓએ મોરબી પાલિકાની જ તમામ સીટો નહીં પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભારે મોટી બહુમતી ભાજપને આપી હતી છતાં પણ આજે શું સ્થિતિ છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.જો કોઇ વિસ્તારના લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવા માટે જાય તો ચૂંટાયેલા સભ્યો કહે છે કે હવે અમે ક્યાં સત્તામાં છીએ પરંતુ જો ઉપરથી કોઈ મવડી મંડળનો કાર્યક્રમ આવે તો તાબડતોબ કલેકટર સહિતનાઓને કામે લગાડીને કામ કરાવવામાં આવે છે પરંતુ છેવાડાના નાગરિકોની કોઈ દરકાર લેવામાં આવતી નથી અને આજે વરસાદના સમયે છેવાળાના વિસ્તારમાં શું હાલત છે તે ચૂંટણી માટે જે લોકો મત માંગવા માટે પહોંચતા હતા તે લોકોએ છેવાડાના વિસ્તારની મુલાકાત લઇને તે વિસ્તારની દરકાર લેવી જોઈએ.જો વાત કરીએ તો

બિપોરજોય વાવાજોડામાં બાપા સીતારામ ચોકથી નિલકંઠ વિદ્યાલય બાજુ રવાપર રોડ ઉપર એક ઝાડ (વૃક્ષ) પડીગયુ હતુ તે ઝાડ આજના દિવસ સુધી ઉપાડવામાં આવેલ નથી..! શું પાલીકાના કોઈ અધિકારી કે સરકારી સંસ્થા કે આ વિસ્તારના ચુંટાયેલ આગેવાનો (જે ચુંટણી ટાંણે લોકોને હથેડીમાં ચાંદ બતાવતા હતા તે.) કે અન્ય કોઇ એજન્સીની જવાબદારી મોરબીને સ્વચ્છ રાખવાની નથી..? જો હોય તો તેઓ પોતાની આળસ ઉડાળીને આવા રોજિંદા કામોમાં કામે લાગે તે જરૂરી બન્યું છે.






Latest News