વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રીમોનસુન કામગીરીના લીરે લીરા: મહેશભાઈ રાજ્યગુરૂ


SHARE







મોરબી શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રીમોનસુન કામગીરીના લીરે લીરા: મહેશભાઈ રાજ્યગુરૂ

મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે મોરબીમાં  કચરા કલેક્શન હોય કે સીટી બસની સેવા હોય કે છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવાની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણીની સમસ્યા આ તમામ સમસ્યા ઉકેલવામાં ભાજપનુ શાસન હોય કે વહીવટદારનુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન છે. ત્યારે મોરબી પાલિકાની  દ્વારા પિ મોનસુનની કામગીરી કેવી કરવામાં આવી તે મોરબીમાં પડેલ પ્રથમ વરસાદમાં લીરે લિરા ઊડી ગયા છે

મોરબીમાં જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે. પ્રજાના ટેક્ષના લાખો રૂપિયા પ્રીમોનસુનની કામગીરી કરી પણ  એ કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામના આવી તેવી પ્રથમ વરસાદમાં જોવા મળી  લાતી પ્લોટ, સામાકાંઠા વિસ્તાર, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદના પાણી ભરી ગયા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજાને સુવિધા આપવાની ગુલબાંગો ફેકે  છે પણ પાલિકા કે ઘારાસભ્ય પાસે લોકોને સુવિધા આપવાની નક્કર નીતિ નથી જેથી લોકો હેરાન થાય છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ છે






Latest News