ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું


SHARE











મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું

મોરબીના રંગપર ગામના યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેની કોઈ જગ્યાએથી તેનો પત્તો નહીં લગતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે નવસારી જિલ્લાના ખેર ગામેથી મળી આવ્યો છે અને યુવાન પુખ્ત ન હોવાથી તેના લગ્ન થી શકે તેમ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામમાં રહેતા દિનેશભાઈ સાગઠીયાનો (૧૯) વર્ષનો દીકરો રોનક ગત તા. ૨૨/૬ ના રોજથી પોતાના ઘરેથી ગુમ થયો હતો અને તેને શોધવા માટે કવાયત કરતા હતા જોકે તેને કોઈ જગ્યાએથી ભાળ ન મળતા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા પણ યુવાનને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ યુવાને હાલમાં નવસારી જિલ્લાના ખેરગામેથી મળી આવ્યો છે વધુમાં આ બનાવવાની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો જો કે, તે પુખ્ત ન હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતું

મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લક્ષ્મીનગર ગામે રહેતા ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ ભરડીયામાં કામગીરી દરમિયાન ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને કામ કરતાં મુકેશભાઈ નારણભાઈ મહેતા (૩૧) નામના યુવાનને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News