ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ


SHARE











મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ

નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે ત્યારે આ નવરાત્રીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને લોકો પોતાની સોસાયટીમાં કરવામાં આવતા ગરબામાં બોલાવીને તેની કલા રજૂ કરવા માટેની તકે આપે અને પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહયોગ આપે તેના માટે અપીલ કરવામાં આવી છે

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે "માં" ની ભક્તિ સાથે સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. જેમાં ગરબા સહિતનો આનંદ લોકોને મળે છે ત્યારે મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા નવરાત્રીમાં તેની કલા રજૂ કરીને રોજગારી મેળવવામાં આવે છે ત્યારે નવરાત્રીના પર્વ ઉપર "માં" ના ગરબા-દાંડિયા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે યોજીને "માં"ની ભક્તિ સાથે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ થકી લક્ષ્મીનાગર ગામ પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે અને પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ હાતીમભાઇ એસ. રંગવાલાએ જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં કોઈ પણ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ એકવાર આ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને તેઓની સોસાયટીમાં દાંડીયારાસનો પ્રોગ્રામ રજૂ કરવા માટેનો અવસર આપવો જોઈએ અને તેના માટે કોઈપણ વ્યક્તિ ૯૪૨૯૯ ૭૮૯૩૦ નંબર ઉપર સંપર્ક કરી શકે છે






Latest News