ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની આગળના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ ની સામેથી પસાર થતી રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી ગયું હતું જેથી કરીને રીક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતકના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (૩૬) નામના વ્યક્તિએ હાલમાં ઓટો રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૧૮૪ ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના મોટા ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ ૪૦) બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી કરીને રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધ ગુમ

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કન્યાશાળાની સામેના ભાગમાં રહેતા જીગ્નેશભાઈ વલ્લભભાઈ સંતોકી (ઉંમર ૪૦) ના પિતા વલ્લભભાઈ ગંગારામભાઈ સંતોકી (ઉંમર ૬૦) ગત તા ૧૬/૬ ના રોજ પોતાના ઘરેથી નાસ્તો કરીને દાઢી કરાવવા માટે જાઉં છું એવું કહીને નિકડ્યા હતા જોકે તેઓ આજ દિવસ સુધી પરત નહીં આવતાં હાલમાં જીગ્નેશભાઈએ પોતાના પિતા ગુમ થયા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News