મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની આગળના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ ની સામેથી પસાર થતી રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી ગયું હતું જેથી કરીને રીક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતકના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (૩૬) નામના વ્યક્તિએ હાલમાં ઓટો રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૧૮૪ ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના મોટા ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ ૪૦) બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી કરીને રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધ ગુમ

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કન્યાશાળાની સામેના ભાગમાં રહેતા જીગ્નેશભાઈ વલ્લભભાઈ સંતોકી (ઉંમર ૪૦) ના પિતા વલ્લભભાઈ ગંગારામભાઈ સંતોકી (ઉંમર ૬૦) ગત તા ૧૬/૬ ના રોજ પોતાના ઘરેથી નાસ્તો કરીને દાઢી કરાવવા માટે જાઉં છું એવું કહીને નિકડ્યા હતા જોકે તેઓ આજ દિવસ સુધી પરત નહીં આવતાં હાલમાં જીગ્નેશભાઈએ પોતાના પિતા ગુમ થયા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News