મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ


SHARE







મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં ખાનગી મેળાઓને મંજૂરી ન આપવા આવે તેના માટે કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ, અવાજનું પ્રદુષણ સહિતના અનેક પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને બાયપાસ રોડ ઉપર એક પણ લોકમેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો લોક લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરીને કોર્ટ કાર્યવાહી કરી લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને નવલખી ફાટક સુધીના વિસ્તારમાં એકથી બે મહિના સુધી લોકમેળાના ખાનગી આયોજનો કરવામાં આવતા હોય છે અને તેમાં મોડી રાત સુધી માઇક વગાડવામાં આવતા હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અને વાંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

આટલું જ નહીં પરંતુ ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક તરફ જતો રસ્તો કચ્છ અને રાજકોટને જોડતો મુખ્ય રોડ છે ત્યાં આમ પણ ટ્રાફિક વધારે રહેતો હોય છે અને ટ્રાફિક તથા અવાજનું પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઉદ્ભવતા હોવાના કારણે આ હાઇવે રોડ ઉપર કોઈપણ લોકમેળાને મંજૂરી આપવામાં ન આવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને લાગણી છે તેને ધ્યાને લઈને તે વિસ્તારમાં કોઈ પણ ખાનગી મેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરી કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી રમેશભાઈ રબારીએ ચીમકી ઉચ્ચારી છે 






Latest News