મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ


SHARE













મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં ખાનગી મેળાઓને મંજૂરી ન આપવા આવે તેના માટે કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ, અવાજનું પ્રદુષણ સહિતના અનેક પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને બાયપાસ રોડ ઉપર એક પણ લોકમેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો લોક લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરીને કોર્ટ કાર્યવાહી કરી લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને નવલખી ફાટક સુધીના વિસ્તારમાં એકથી બે મહિના સુધી લોકમેળાના ખાનગી આયોજનો કરવામાં આવતા હોય છે અને તેમાં મોડી રાત સુધી માઇક વગાડવામાં આવતા હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અને વાંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

આટલું જ નહીં પરંતુ ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક તરફ જતો રસ્તો કચ્છ અને રાજકોટને જોડતો મુખ્ય રોડ છે ત્યાં આમ પણ ટ્રાફિક વધારે રહેતો હોય છે અને ટ્રાફિક તથા અવાજનું પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઉદ્ભવતા હોવાના કારણે આ હાઇવે રોડ ઉપર કોઈપણ લોકમેળાને મંજૂરી આપવામાં ન આવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને લાગણી છે તેને ધ્યાને લઈને તે વિસ્તારમાં કોઈ પણ ખાનગી મેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરી કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી રમેશભાઈ રબારીએ ચીમકી ઉચ્ચારી છે 






Latest News