મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE















મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની ફ૨ીયાદ એવી હતી કે આ કામના આરોપી પાસેથી માદક પદાર્થ (મેફેડ્રોન પાઉડર ૧૦.૨૦ ગ્રામ) કિંમત રૂપીયા ૧,૦૨,૦૦૦ એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં રાખીને મળી આવેલ તથા આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ તથા રોકડ રૂપીયા સાથે મળી આવતા અને આ આરોપીની પુછપરછમાં તેણે આ જથ્થો રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ પાસેથી મેળવ્યો હોવાની હકીકત જણાવેલ હોય ટંકારા પોલીસે હાલના આરોપીની અટક કરી મોરબી સ્પે.કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર ક૨ી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય.આ આરોપીએ મો૨બીએ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી. આરોપી રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ તરફેથી દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી રાજકોટ જીલ્લાના કાયમી વતની છે.કયાય નાશીભાગી જાય તેમ નથી.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુ બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલીપ અગેચાણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપીને જામીન ઉ૫૨ છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી એડ. દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News