મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની ફ૨ીયાદ એવી હતી કે આ કામના આરોપી પાસેથી માદક પદાર્થ (મેફેડ્રોન પાઉડર ૧૦.૨૦ ગ્રામ) કિંમત રૂપીયા ૧,૦૨,૦૦૦ એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં રાખીને મળી આવેલ તથા આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ તથા રોકડ રૂપીયા સાથે મળી આવતા અને આ આરોપીની પુછપરછમાં તેણે આ જથ્થો રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ પાસેથી મેળવ્યો હોવાની હકીકત જણાવેલ હોય ટંકારા પોલીસે હાલના આરોપીની અટક કરી મોરબી સ્પે.કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર ક૨ી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય.આ આરોપીએ મો૨બીએ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી. આરોપી રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ તરફેથી દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી રાજકોટ જીલ્લાના કાયમી વતની છે.કયાય નાશીભાગી જાય તેમ નથી.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુ બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલીપ અગેચાણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપીને જામીન ઉ૫૨ છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી એડ. દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News