ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 


SHARE











મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામે રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની પરિણીતાએ નજીવી વાતે ગળેફાંસો ખાઈ લેતા હાલ તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે પીયર ધરાવતી અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સાસરે રહેતી હેતલબેન ભરતભાઈ જગાભાઈ ગોરીયા જાતે કોળી નામની ૨૭ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ઢુવા ખાતે ગળેફાંસો ખાઇ લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી. બનાવ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર હેતલબેન મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ તેના મા-બાપ કુવાડવા ખાતે રહે છે.થોડાક દિવસો પહેલા નાકનો દાંણો તૂટી ગયો હોય તે વાતે પતિ ભરતભાઈ કોળી કે જેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની સાથે બોલાચાલી થઇ હતી.દરમ્યાનમાં ગઇકાલે હેતલબેમે ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું જાણવા મળેલ છે. જોકે હાલ હેતલબેન બેભાન હાલતમાં હોય તેઓના ભાનમાં આવ્યા બાદ જ ખરું કારણ સામે આવશે તેમ પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે રહેતા ક્રિપાલસિંહ રણજીતસિંહ ઝાલા નામનો ૩૬ વર્ષીય યુવાન દુકાનેથી પરત પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં એલઇ ગ્રાઉન્ડની પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતો કેતનભાઇ બીપીનભાઇ મહેતા નામનો ૪૦ વર્ષીય યુવાન ત્રાજપર ચોકડી નજીક હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેની અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતો વિનોદ નાનજીભાઇ ચાવડા નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદ ચોકડી પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતા વિનોદભાઈને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાઘપરા શેરી નંબર-૭ માં રહેતી રીધ્ધીબેન રાજેશભાઈ નામની ૧૬ વર્ષીય યુવતી ગણેશ વિસર્જનમાં ગઈ હતી અને ત્યાં માથાકૂટ થતાં ગભરાઇ જવાથી તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી..!






Latest News