હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે બાઈક ચલાવવા બાબતે સમજાવવા ગયેલા વ્યક્તિને માર મારતા હતા જેથી તેને છુટા પાડવા માટે વચ્ચે પડેલા યુવાનને તલવાર અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને પ્રથમ મોરબી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબજેલ સામેના ભાગમાં આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઈ પરમાર (૩૦) નામના યુવાને અતુલભાઇ ગેલાભાઈ ઝાલા, આદર્શભાઈ અતુલભાઇ ઝાલા અને પપ્પુભાઈ અતુલભાઇ ઝાલા રહે. બધા વાલ્મીકિવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હસમુખભાઈ પોતાનું બાઈક લઈને કામ ઉપર જતા હતા ત્યારે આદર્શ અતુલભાઇ ઝાલાને બાઈક ચલાવવા બાબતે સમજાવતા હતા તે બાબતનો ખાર રાખીને અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈએ હસમુખભાઈને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને માર મારતા હતા જેથી ફરિયાદી અજયભાઈ તેઓને છૂટા પડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા ત્યારે અતુલભાઇ ઝાલાએ તેને તલવાર વડે હાથમાં માર માર્યો હતો અને આદર્શભાઈએ લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ તે ત્રણેય નાશી ગયા હતા અને ઇજા પામેલા અજયભાઈ પરમારને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં તેણે અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News