આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને લાગી આવતા તે યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બરોલીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં ઈશ્વરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો સમીરભાઈ શંકરભાઈ નાયક (૩૯) નામનો યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનું તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આવે દેવ હોટલ ખાતે નાસ્તો કરવા માટે ઉભા રહેલા ટ્રક ચાલક રમેશસિંગ હેમસિંગ રાજપુત (૪૦) રહે.અંબાભારા તાલુકો ભટાના જીલ્લો રાજસમજ રાજસ્થાન વાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી ટ્રક ચાલકો દ્વારા તેને માળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવતો હતો.તે દરમિયાનમાં તેનું મોત નીપજયુ હતું અને ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, છાતીમાં અચાનક દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના લીધે રમેશસિંહ રાજપૂત નામના રાજસ્થાની ડ્રાઇવરનું મોત નિપજયુ હતું.






Latest News