હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું
ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE
ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
કાલે ટંકારામાં સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી તા ૯ ને સાંજે ચાર કલાકે યોજાશે જેમાં વાંકાનેરના ધારાસભ્ય સાહિતના આગેવાનો હાજર રહેવાના છે
રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ શેતા, આનંદભાઈ શેતા, પરેશભાઈ કાનાબાર, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર, કાશ્મીરાબેન નથવાણી, રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ટંકારા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમા નર્સરીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે