મોરબી : ટાટની પરીક્ષાના પેપર ચકાસણી કરતાં શિક્ષકોના નામ જાહેર થતાં હોશીયાર વિધાર્થીને અન્યાય
SHARE
મોરબી : ટાટની પરીક્ષાના પેપર ચકાસણી કરતાં શિક્ષકોના નામ જાહેર થતાં હોશીયાર વિધાર્થીને અન્યાય
ટાટની પરીક્ષામાં ઘણાં બધા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપરો થોડા અધરા હતાં પણ ટાટ માટે વિધાર્થી સતત મહેનત કરે છે જે હોશિયાર અને મહેનતુ છે તેણે પરીક્ષા આપી છે અને જીંદગીના સુંદર સપના જોઇ રહયાં હતા. પરંતુ ટાટની પરીક્ષાના પેપર ચકાસણી માટે જે તે શિક્ષકોના નામ જાહેર થયાં છે તેથી પરીક્ષાની ગુપ્તતાની જાણવણી રહેતી નથી હવે વિધાર્થી અને વાલીઓ પાસ થવા માટે દોડા-દોડી અને ભષ્ટાચારના રસ્તા અપનાવવાના પ્રયત્નો કરશે તેવુ જણાય છે જે વિધાર્થીએ સખત મહેનત અને મનલગાવીને વાંચીને પરીક્ષા આપી છે તેને અન્યાય થાય તેમ પરીક્ષાર્થીઓમાં ચર્ચાઇ રહ્યુ છે.જો ભ્રષ્ટાચાર થાય તો શિક્ષણ જગતને હોશિયાર શિક્ષકો મળે નહી તેવુ જણાય છે તો આ બાબત યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી સમક્ષ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માંગ કરેલ છે.