મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો


SHARE













મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની પેરોલ ફર્લો ટીમ દ્વારા ઝડપી પાડીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં હાજર ન થયેલા હોય ગુનામાં ફરાર હોય તેવા તેમજ પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમી આધારે હળવદ પોલીસ મથકમાં ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપી વિપુલ અમરશી રાઠોડ (૩૨) રહે.જુના ધનાળા તા. હળવદ જી.મોરબીને હળવદના સરા નાકાથી દબોચીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.

વાહન અકસ્માતમાં ઇજા

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ ઠાકોર નામનો ૩૬ વર્ષનો યુવાન ભચાઉ-લોએજ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બમ્પમા તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામેલ મનસુખ ઠાકોરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ગુજરવદી ગામે રહેતા ગીતાબેન પ્રવીણભાઈ મિસ્ત્રી નામના ૬૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જયરાજ નળિયાના કારખાના નજીક રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી નામના ૫૦ વર્ષીય આધેડને મહેન્દ્રનગર ચોકડીએ સીએનજી પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા






Latest News