રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓમાં રાજયોગિની બ્રહ્માકુમારી શેલા દીદી (વાંકાનેર સેવાકેન્દ્ર સંચાલિત)બ્રહ્માકુમારી સરિતા દીદીરસીલાબેન (સામાજિક ક્ષેત્રે ઘણું યોગદાન ધરાવતા),ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુમહાવીર સિંહવાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મંગુભાઈ સહિતના હજાર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક ગુરુઓને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેમાં વ્યસન મુક્તિનિષ્ઠાપૂર્વ ફરજ બજાવવી અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરાવવું આ વાતનું સાચા અર્થમાં પાલન કરશું તેમજ ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તો મહાસંઘ મહિલા પાંખના ઉપાધ્યક્ષ અને  સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું






Latest News