મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ-રાજ્યમંત્રીને નવલખી ફાટક ખોલાવવા કરી રજુઆત
વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓમાં રાજયોગિની બ્રહ્માકુમારી શેલા દીદી (વાંકાનેર સેવાકેન્દ્ર સંચાલિત), બ્રહ્માકુમારી સરિતા દીદી, રસીલાબેન (સામાજિક ક્ષેત્રે ઘણું યોગદાન ધરાવતા),ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુ, મહાવીર સિંહ, વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મંગુભાઈ સહિતના હજાર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક ગુરુઓને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેમાં વ્યસન મુક્તિ, નિષ્ઠાપૂર્વ ફરજ બજાવવી અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરાવવું આ વાતનું સાચા અર્થમાં પાલન કરશું તેમજ ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તો મહાસંઘ મહિલા પાંખના ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું









