મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે પાલિકાની બેદરકારીના લીધે વાહન અસ્કમાત
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ-રાજ્યમંત્રીને નવલખી ફાટક ખોલાવવા કરી રજુઆત
SHARE
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ-રાજ્યમંત્રીને નવલખી ફાટક ખોલાવવા કરી રજુઆત
મોરબીના નવલખી ફટકે બાયપાસ રોડે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને નીચેના ભાગે જે ફાટક હતી તેને બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને હજારો લોકોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ અને રેલ્વે રાજ્યમંત્રીને રજુઆત કરીને હાલમાં બંધ કરાયેલા નવલખી ફાટકને ખોલવા માટેની માંગ કરેલ છે.
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ હાલમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ રેલ્વેના રાજયમંત્રીને નવલખી ફાટક બાબતે રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડે આવેલ ફાટક નં-૩૬ કે, જે રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે. આ ફાટક બંધ થવાથી હજારો લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજુબાજુના સોસાયટી વિસ્તાર અને જુદાજુદા ગામના લોકોની હલાકીને દૂર કરવા માટે અને કાયમી અવર-જવર કરતા લોકોની સુવિધા માટે આ ફાટકને ખોલવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને રેલ્વે તંત્ર દ્રારા નવલખી ફાટક નં-૩૬ બંધ કરવામાં આવી છે તે ફાટકને ખોલવામાં આવે તેવી માંગ કરી છે
આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કેસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ પટેલે હલમ કલેક્ટરને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, નવલખી ફાટકની બાજુમાં વિનાયક પાર્ક આવેલ છે ત્યાં પાંચ માળનું બિલ્ડીંગ આવેલ છે અને ત્યાં રહેતા લોકોને ફરીને જવું પડે તેવો ઘાટ સર્જાયો છે જેથી કરીને રિક્ષા વાળા પણ ડબલ ભાડું લેવા લાગ્યા છે ત્યારે લોકોની સુખાકારી માટે આ ફાટકને ખોલવામાં આવે તેવી માંગ કરી છે









